આમળા


આમળા

આમળા આપણા દેશમાં ઘણુંજ વપરાતું ફળ છે. જે ફળ તરીકે તથા ઔષધ તરીકે તેમજ રસોઈ ઘર માં શાકભાજી તરીકે ઘણુંજ પ્રખ્યાત છે. આમળા વિટામીન C થી ભરપૂર છે. તેમાં ખાટો- થોડો તૂરો તથા  થોડોક કડવો સ્વાદ છે. શરીર ને સુચારૂ રૂપ થી કાર્યરત રાખવા માટે વિટામિન C મહત્વનો ભાગ ભજવે છે. શરીર માં પાચન પણ સુધારે છે, તથા શરીરમાં ખનીજ તત્વો-વિટામિનો (ખોરાકમાં લીધેલા) તે પચાવવાનું કામ કરે છે. આયુર્વેદ માં તો આમળા ને રસાયણ ગણેલ  છે. (રસાયણ એટલે શરીરમાં પરિવર્તન કરનાર) આમળા આખા ખાવા કે પાવડર ની ફાકી મારવી એ તેના ખાટા-તુરા સ્વાદના કારણે ઘણુંજ મુશ્કેલ હોય છે. તેને સાનુકૂળ કરવા અમોએ તેની 500 મિલીગ્રામ ની ગોળી (ટેબ્લેટ) ના સ્વરૂપે બાઝારમાં લાવ્યા છીએ. જે શુદ્ધ છે, અને અનુકૂળ છે. તે ૫૦૦ મી.ગ્રા ની ગોળીઓ સ્વરૂપે ૮૦ ગ્રામના જારમાં મળે છે.


આમળા થી તથા લાભો આ મુજબ
  • વધતી ઉંમર ની ગતી ધટાડે છે. 
  • ગળા ને સાફ કરે છે.
  • હૃદય રોગોમાં લાભ કરતા.
  • શરીર ની પાચન તંત્ર ની ગતી વધારે છે.
  • બ્લડ શુગર ધટાડે છે.
  • શરીર ને સક્રિય રાખી  ઈમ્યૂનિટી વધારે છે.
  • પથરી માં રાહત આપે છે.
  • અલ્સર માં ગળપણ સાથે લેવાથી રાહત આપે છે.
  • દાહ ઘટાડનાર 
  • આંખો ની દ્રષ્ટિ માં સુધારો કરે છે.
  • લોહી ને શુદ્ધ કરે છે.
  • હાડકા મજબૂત કરે છે.
  • શરીર ને ઠંડક આપે છે.
  • કબજીયાત માં પણ રાહત આપે છે.
  • કેન્સર સામે રક્ષણ આપે છે.
  • જોન્ડિસ-વરાધમાં રાહત આપે છે.
  • લીવર માટે લાભ કરતા.
  • ચામડી સુંવાળી તેમજ ચમકદાર બનાવે છે.
  • વાળ વધારનાર.
  • વાળ ચમકદાર બનાવનાર.

Post Top Ad

Your Ad Spot

Pages